ધોરણ 10 - 12ની પરીક્ષા ફી માં થયો વધારો - SSC, HSC Exam Fees

ધોરણ 10 - 12 ની પરીક્ષા ફી: SSC Exam Fees: HSC Exam Fees: ‌વર્ષ 2023-24મા ધોરણ 10 અને 12 ના બોર્ડના વર્ષની પરીક્ષા આગામી માર્ચ મહિનામાં યોજાવાની છે. વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ની પરીક્ષા માટેના ફોર્મ એટલે કે બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. આ ફોર્મ ભરવા માટે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી ફી લેવામાં આવે છે તો આ લેખમાં આપણે SSC Exam Fees 2023 અને HSC Exam Fees 2023 વિશે જાણીશું.

ધોરણ 10 & 12 ની પરિક્ષા ફી મા વધારો

ધોરણ 10 - 12 ની પરીક્ષા ફી માં વધારો - SSC, HSC Exam Fees

આર્ટીકલનું નામ બોર્ડની પરીક્ષા ફીમાં વધારો
ધોરણ ધોરણ 10-12
પરીક્ષાની તારીખ 11 માર્ચ 2024
ઓફિસિયલ વેબસાઇટ https://www.gseb.org/

ધોરણ 10 વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા ધોરણ 12 ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા ફી નીચે પ્રમાણે છે. 
  • રેગ્યુલર વિદ્યાર્થી: રૂપિયા 390/-
  • રેગ્યુલર રીપીટર (એક વિષય): રૂપિયા 145/-
  • રેગ્યુલર રીપીટર (બે વિષય): રૂપિયા 205/-
  • રેગ્યુલર રીપીટર (ત્રણ વિષય): રૂપિયા 265/-
  • રેગ્યુલર રીપીટર (ત્રણ વિષય કરતાં વધુ): રૂપિયા 380/-
  • પૃથ્થક ઉમેદવાર  (એક વિષય): રૂપિયા 145/-
  • પૃથ્થક ઉમેદવાર (બે વિષય): રૂપિયા 205/-
  • પૃથ્થક ઉમેદવાર (ત્રણ વિષય): રૂપિયા 265/-
  • GSOS ઉમેદવાર (નિયમીત): રૂપિયા 390/-
  • GSOS ઉમેદવાર (એક વિષય): રૂપિયા 145/-
  • GSOS ઉમેદવાર (બે વિષય): રૂપિયા 205/-
  • GSOS ઉમેદવાર (ત્રણ વિષય): રૂપિયા 265/-
  • GSOS ઉમેદવાર (ત્રણ વિષય કરતાં વધુ): રૂપિયા 380/-

અગત્યની સુચના

  • ઉપરોક્ત તમામ ફી માંથી વિદ્યાર્થીની બહેનો અને દિવ્યાંગ ઉમેદવારોને સરકાર દ્વારા ફી માંથી મુકિત આપવામાં આવી છે. 

SSC, HSCની ફી માં કેટલો વધારો થયો? 

  • બોર્ડના વર્ષમાં એટલે કે SSC, HSCમા અભ્યાસ કરતાં વિદ્યાર્થીની પરિક્ષા ફી માં વધારો કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ 10 ની રેગ્યુલર ફી રૂપિયા 355 થી વધારીને રૂપિયા 399 કરવામાં આવી છે. જેમાં લધુત્તમ રૂપિયા 15 થી રૂપિયા 40નો વધારો કરવામાં આવ્યો છે. 
  • ધોરણ 12 સામાન્ય પ્રવાહની નિયમિત ફી રૂપિયા 490 થી વધારીને રૂપિયા 540 કરવામાં આવી છે. 
  • ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની નિયમિત ફી રૂપિયા 655 થી વધારીને રૂપિયા 665 કરવામાં આવી છે. 

બોર્ડની પેપર સ્ટાઈલમાં સુધારો

ધોરણ 10 અને 12મા જુની પરિક્ષા પદ્ધતિ પ્રમાણે 20% હેતુલક્ષી પ્રશ્નો હતા જે હવે સુધરીને નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે 30 % હેતુલક્ષી પ્રશ્નો આવશે. 

ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા ક્યારથી શરૂ થશે? 

11 માર્ચ 2024

ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નો કેટલા %  હશે? 

30% હેતુલક્ષી પ્રશ્નો

Join Our Telegram for more update: https://t.me/evigyanclasses

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ