અલંકાર એટલે શું? | અલંકારનો અર્થ | અલંકારના પ્રકારો અને ઉદાહરણ - ગુજરાતી વ્યાકરણ

અલંકાર એટલે શું? અલંકારનો અર્થ: અલંકારના પ્રકાર અને ઉદાહરણ: આ આર્ટિકલમાં આપણે ગુજરાતી વ્યાકરણનો ટોપિક અલંકાર અને તેના પ્રકાર વિશે જાણીશું. 

અલંકાર એટલે શું? અલંકારના પ્રકાર

અલંકાર - ગુજરાતી વ્યાકરણ

  • જેના વડે સાહિત્યકૃતિની શોભામાં વધારો થાય છે તેને અલંકાર કહેવામાં આવે છે. 
  • રજુઆતને સચોટ અને અસરકારક બનાવવા ભાષાની જે અભિવ્યક્તિને આપણે ઉપયોગમાં લઈએ છીએ તે અભિવ્યક્તિ એટલે અલંકાર. 

અલંકારના પ્રકાર 

અલંકારના મુખ્યત્વે બે પ્રકારો છે. 
  1. શબ્દાલંકાર
  2. અર્થાઅલંકાર
  • જેમાં ધ્વનિ કે ધ્વનિશ્રેણી નું સૌંદર્ય કે ચમત્કૃત અભિવ્યક્તિને આકર્ષક બનાવે તે શબ્દાલંકાર. 
  • અર્થને ઉપયોગમાં લઈ સચોટતા સધાય તે અર્થાઅલંકાર. 

કોઈપણ સાહિત્યની રચનામાં આ બંને અલંકારનો ઉપયોગ તેની અભિવૃદ્ધિ કરવા માટે થાય છે. વર્ણાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ અને અંત્યાનુપ્રાસ એ ત્રણેય શબ્દાલંકાર છે. જયારે બાકીના અલંકારોનો સમાવેશ અર્થાઅલંકારમા કરવામાં આવે છે. 

શબ્દાલંકાર 

તે ધ્વનિ અથવા શબ્દના વિશિષ્ટ સંયોજનને કારણે કાવ્યમાં ધ્વનિ, શબ્દનો મૂળભૂત ઘટક ધ્વનિ છે. આ અલંકારના સૌદર્નયનો આધાર સૌંદર્યમાં વધારો થાય ત્યારે તેને શબ્દાલંકાર કહે છે. 

1) વર્ણાનુપ્રાસ અલંકાર 

  • જયારે કોઈ પંક્તિમાં કે વાકયમાં એકનો એક વર્ણ પુનરાવર્તિત થયો હોય ત્યારે વર્ણાનુપ્રાસ કે વર્ણસગાઈ અલંકાર બને છે. 
ઉદાહરણ 
  • કામિની કોકિલા કેલી કૂજન કરે. 
  • સાગરે ભાસતી, ભવ્ય, ભારતી. 

2) પ્રાસસાંકળી (આંતરપ્રાસ) 

  • કોઈ પંક્તિના મધ્યમાં પ્રાસ મળે તો પ્રાસાનુપ્રાસ, પ્રાસસાંકળી અલંકાર બને છે. 
ઉદાહરણ 
  • જાણી લે જગદીશ, શીશ સદગુરુને નામી. 
  • મુંબઈથી આવ્યા મામા, સામા સૌ લેવા જાય. 

3) અંત્યાનુપ્રાસ અલંકાર 

  • આ અલંકારમા બે પંક્તિઓના અંતે સમાન ઉચ્ચારવાળા શબ્દો આવે છે. 
ઉદાહરણ 
  • તુ નાનો હું મોટો એ ખ્યાલ બધાનો ખોટો, ખારા જળનો દરિયો, ભરિયો મીઠાં જળનો લોટો. 

અર્થાઅલંકાર

1) ઉપમા અલંકાર 

  • જયારે ઉપમેય (જેની સરખામણી કરવામાં આવે છે તે) અને ઉપમાન ( જેની સાથે સરખામણી કરવામાં આવે છે તે) ની સરખામણી જેવા, જેવું, જેવી, સમાન, સરખી જેવા શબ્દો વડે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. 
ઉદાહરણ 
  • અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા. 
  • ચાંદો હોય તોય વાસી રોટલા જેવો. 
  • ચંપકનો હાથ કઠણ લાકડાં જેવો લાગે છે. 
  • દમયંતીનુ મુખ ચંદ્ર જેવું શોભે છે. 

2) રૂપક અલંકાર 

  • જયારે ઉપમેય અને ઉપમાન વચ્ચે એકરૂપતા દર્શાવવામાં આવે છે ત્યારે રૂપક અલંકાર બને છે. 
ઉદાહરણ 
  • સંસાર સાગર મહી જળ ભરિયો. 
  • રામ રમકડું જડિયુ રાણાજી મને રામ રમકડું જડિયુ. 
  • બપોર એક મોટું શિકારી કુતરું છે. 
  • તોડી નાખ્યો માયા કેરો ફંદ. 
  • પ્રેમ પંથની પાવક જવાળા રે. 

3) ઉત્પ્રેક્ષા અલંકાર 

  • જયારે ઉપમેય ઉપમાન હોવાની સંભાવના જાણે, રખે, શકે તેવા શબ્દો દ્વારા કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. 
ઉદાહરણ 
  • હૈયું જાણે હિમાલય! 
  • લોચન જાણે પદમ પાખંડી. 

4) વ્યતિરેક અલંકાર 

  • જયારે ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું બતાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે. 
ઉદાહરણ 
  • તલવારથી તેજ તારી આંખલડીની ધાર છે. 
  • કમળકળી કરતાં કોમળું રે બહેની અંગ છે એનું. 

5) અતિશયોક્તિ અલંકાર 

  • જયારે વાસ્તવિકતાની હદ વટાવીને કાર્યકારણનો સંબંધ ઉલટાવીને અથવા ઉપમેય ઉપમાનમા સમાઈ જાય ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે. 
ઉદાહરણ 
  • શીલાની બંને આંખે શ્રાવણ-ભાદરવો વહી રહ્યો છે. 
  • એ નાટક એટલું કરૂણ કે થિયેટર અશ્રુસાગર બની ગયું. 

6) શ્લેષ અલંકાર 

  • જયારે એક જ શબ્દના એકથી વધુ અર્થ થતાં હોય અને તેને કારણે ચમત્કૃતિ નીપજે ત્યારે શ્લેષ અલંકાર બને છે. 
ઉદાહરણ 
  • વર્ષા તમારી રાહ જુએ છે. 
  • જવાની તો આખરે જવાની છે. (જવાની - યૌવન, જવાની - જતી રહેવાની) 

7) સજીવારોપણ અલંકાર 

  • જયારે કોઈ જડ બાબત પર ચેતન તત્વનુ આરોપણ કરવામાં આવે તે સજીવ છે તે રીતે અભિવ્યક્ત કરવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર બને છે. 
ઉદાહરણ 
  • માણેકના કરૂણ ચિત્કારે એમનો પીછો પકડયો. (ચિત્કાર એટલે ચીસ, એ કરૂણ અવાજ લેખકે ચિત્કારનું સજીવત્વનુ આરોપણ કર્યું છે.) 

8) વ્યાજસ્તુતિ અલંકાર 

  • જયારે કોઈ વ્યક્તિ કે વસ્તુના નિંદાના બહાને વખાણ કે વખાણના બહાને નિંદા કરવામાં આવે છે ત્યારે વ્યાજસ્તુતિ અલંકાર બને છે. 
ઉદાહરણ 
  • જાદવ સ્ત્રી તાલી દઈ હસે, ધન્ય નગર આવો નર વસે.  કીધા હશે વ્રત અપાર,તે સ્ત્રી પામી હશે આ ભરથાર.(અહીં સુદામાની પ્રશંસા-સ્તુતિના બહાને નિંદા કરવામાં આવી છે.)

9) અનન્વય અલંકાર 

  • જયારે કોઈ વાતને સચોટતાથી મુકવી હોય ત્યારે અન્ય કોઇ બાબત સાથે સરખામણી કરીને, કશાની કલ્પના કરીને અભિવ્યક્તિ સધાય છે પરંતુ કયારેક સરખામણી કરવા અન્ય કોઇ બાબત ન મળે તો મુળ બાબત એટલે કે ઉપમેય જ ઉપમાન તરીકે પ્રયોજાય ત્યારે અનન્વય અલંકાર બને છે. 
ઉદાહરણ 
  • મા તે મા
  • જોગનો ધોધ એટલે જોગનો ધોધ. 
  • મનેખ જેવા મનેખને ય કપરો કાળ આવ્યો છે.

10) અન્યોક્તિ અલંકાર 

  • આ અલંકાર મૂળ વાતને બદલે પરોક્ષ રીતે અન્ય વાતને રજૂ કરવામાં આવે છે. 

ઉદાહરણ 
  • મોરનાં ઈંડા ચીતરવા ન પડે. 
  • ભૂખ્યો સિંહ તરણું ન ખાય. 

11) વિરોધાભાસ અલંકાર 

  • આ અલંકારમા વિરોધાભાસનો ઉપયોગ કરી કોઈ ગહનસત્ય કે હકીકત રજૂ કરવામાં આવે છે. 

ઉદાહરણ 
  • છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે. 
  • મને એજ નથી સમજાતું કે આવું શાને થાય છે? ફૂલડાં ડુબી જાય છે અને પથ્થરો તરી જાય છે. 

12) દષ્ટાંત અલંકાર 

  • આ અલંકારમાં એક વિધાનના સમર્થનમાં એક દષ્ટાંત રજૂ કરવામાં આવે છે. 
ઉદાહરણ 
  • નમતાથી સૌ કો રીઝે, નમતાને બહુમાન સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન. 

13) સ્વભાવોક્તિ અલંકાર 

  • આ અલંકારમાં કોઈ અલંકારનો ઉપયોગ કર્યા વિના જ જે તે બાબતનું કે ક્રિયાનું વર્ણન કરવામાં આવે છે. 
ઉદાહરણ 
  • આદમને કોઈ પૂછે : પેરિસમાં શું કરે છે? લાંબી સડક પર એ લાંબા કદમ ભરે છે. એ કેવી રીતે ભૂલે પોતાની પ્યારી માને? પેરિસમાં છે છતાંય બારતનો દમ ભરે છે. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ