જ્ઞાનસાધના સ્કોલરશીપ, ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીને મળશે, 94,000/- જેટલી સ્કોલરશીપ, તારીખ જાહેર

જ્ઞાનસાધના સ્કોલરશીપ: જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશીપ: સરકાર દ્વારા વિદ્યાર્થીને અભ્યાસ માટે સહાય તરીકે સ્કોલરશીપ આપવામાં આવે છે. જેમાં વિવિધ ધોરણ તેમજ વિવિધ ક્ષેત્રના વિદ્યાર્થી માટે અલગ રકમ આપવામાં આવે છે. સરકાર દ્વારા ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થી માટે જ્ઞાનસાધના સ્કોલરશીપ અમલમાં આવી છે. હોંશિયાર અને આર્થિક રીતે નબળા વર્ગના ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થી સારી શાળામાં શિક્ષણ મેળવી શકે તે માટે મુખ્યમંત્રી દ્વારા જ્ઞાનસાધના સ્કોલરશીપ યોજના અમલમાં મૂકવામાં આવી છે. જ્ઞાનસાધના સ્કોલરશીપ 2024 ની પરિક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે.  

જ્ઞાનસાધના સ્કોલરશીપ

જ્ઞાનસાધના સ્કોલરશીપ

આર્ટિકલનું નામ જ્ઞાનસાધના સ્કોલરશીપ
સત્તાવાર વિભાગ શિક્ષણ વિભાગ
સ્કોલરશીપની રકમ 22,000 થી 25,000/-
પરિક્ષાની તારીખ 31 માર્ચ 2024
પસંદગી પ્રક્રિયા પરિક્ષા દ્વારા
ઓફિસિયલ વેબસાઇટ www.sebexam.org

પાત્રતા

જ્ઞાનસાધના સ્કોલરશીપમાં પરિક્ષા ફોર્મ ભરવા નીચે દર્શાવેલ પાત્રતા હોવી જરૂરી છે. 
  • વિદ્યાર્થી ધોરણ 1 થી 8 સળંગ સરકારી કે ગ્રાન્ટેડ સ્કુલમાં અભ્યાસ કરી હાલ ધોરણ 8 મા અભ્યાસ કરતો હોવો જોઈએ. 
  • RTE 2009 તે હેઠળ રચાયેલ 25% ની મર્યાદામાં ખાનગી શાળામાં ધોરણ 1 થી 8 મા અભ્યાસ  કરેલ હોવો જોઈએ અને હાલમાં ધોરણ 8 મા અભ્યાસ કરતો હોવો જોઈએ. 

પરિક્ષા ફોર્મ ક્યારે ભરાશે? 

જ્ઞાનસાધના સ્કોલરશીપની પરિક્ષા આપવા માટે ફોર્મ ભરવાની તારીખ હજી જાહેર કરવામાં આવી નથી, પણ શિક્ષણ વિભાગ દ્વારા આ પરિક્ષાની તારીખ ઓફિસિયલ વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. આ પરિક્ષાની તારીખ જાહેર થતાં સ્કુલ દ્વારા વિદ્યાર્થીને જાણ કરવામાં આવશે. 

પરિક્ષાની તારીખ

જ્ઞાનસાધના સ્કોલરશીપ પરિક્ષા રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા 31 માર્ચ 2024 ના રોજ લેવામાં આવશે. 

કસોટીનું માળખું

આ પરિક્ષામાં વિદ્યાર્થીની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે. આ કસોટીનું માળખું નીચે મુજબનું રહેશે. 
  • આ કસોટીનું પ્રશ્ન પત્ર કુલ 120 ગુણનું રહેશે અને સમય 150 મિનિટ રહેશે. 
  • આ કસોટીના પ્રશ્ન પત્રની ભાષા ગુજરાતી/અંગ્રેજી બંને રહેશે. 
  • આ કસોટીમાં વિદ્યાર્થી ગુજરાતી/અંગ્રેજી જે ભાષા પસંદ કરે તે ભાષામાં પરિક્ષા આપી શકશે. 
  • MAT બૌદ્ધિક યોગ્યતા કસોટીના 40 પ્રશ્નો અને તેના 40 ગુણ રહેશે. 
  • SAT બૌદ્ધિક યોગ્યતા કસોટીના 80 પ્રશ્નો અને તેના 80 ગુણ રહેશે. 

સ્કોલરશીપની રકમ કેટલી મળે? 

  • આ યોજના હેઠળ કુલ 25,000/- વિદ્યાર્થી જે મેરિટમાં આવે તેને મળવા પાત્ર રહેશે. 
  • જેમાં ધોરણ 9 અને 10 માં વાર્ષિક રૂપિયા 22,000/- મળવા પાત્ર છે. 
  • ધોરણ 11 અને 12 માં વાર્ષિક રૂપિયા 25,000/- મળવા પાત્ર છે. 

આવકમર્યાદા

આ સ્કોલરશીપના ફોર્મ ભરવા માટે સરકારી કે ગ્રાન્ટેડ સ્કુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે કોઈ આવકમર્યાદા નથી પરંતુ RTE મા અભ્યાસ કરતાં વિદ્યાર્થી માટે RTE મા નક્કી કરેલ આવકમર્યાદા કરતાં વધુ ન હોવી જોઈએ. 

જ્ઞાનસાધના સ્કોલરશીપમાં પસંદગી પ્રક્રિયા

  • સૌપ્રથમ જ્ઞાનસાધના સ્કોલરશીપનું ફોર્મ ભરવાનું હોય છે. 
  • ત્યારબાદ પરિક્ષા આપવાની હોય છે જે રાજ્ય પરિક્ષા દ્વારા 31 માર્ચ 2024 ના રોજ લેવામાં આવશે. 
  • ત્યારબાદ રિઝલ્ટને આધારે કટ ઓફ જાહેર કરવામાં આવશે અને કટ ઓફ ના આધારે મેરિટ બહાર પાડવામાં આવશે. 
  • ત્યારબાદ પસંદગી પામેલા વિદ્યાર્થીઓએ ઓનલાઇન પોતાના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે. 
  • ત્યારબાદ જિલ્લા કક્ષાએ વિદ્યાર્થીના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવે છે. 
  • ત્યારબાદ ફાઈનલ સિલેક્શન મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવે છે. 
ઓફિસિયલ વેબસાઇટ: www.sebexam.org

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ